DDNews Feeds
PM મોદીની વારાણસીને ભેટ, 2200 કરોડના કામોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં અંદાજે ₹2200 કરોડના ખર્ચે થનારી અનેક વિકાસાત્મક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું છે. આ યોજનાઓમાં શિક્ષણ, આરોગ્યસેવા, પ્રવાસન, શહેરી વિકાસ અને સાંસ્કૃતિક વારસાને લગતી અનેક કામગીરીઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાને દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતો માટે ‘કિસાન સન્માન નિધિ’યોજના અંતર્ગત 20મો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યો.
વારાણસીમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાનને ‘શિવલિંગ’નું સ્મૃતિચિહ્ન ભેટમાં આપ્યું. કાર્યક્રમમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક, કેશવ પ્રસાદ મૌર્ય સહિત અનેક કેબિનેટ મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ હાજર રહ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, “હું શ્રાવણના પાવન સમયે વડાપ્રધાનનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું, જે ન માત્ર કાશીના સાંસદ છે પરંતુ શહેર માટે તેમની લાગણીએ કાશીને વૈશ્વિક ઓળખ અપાવી છે.” મુખ્યમંત્રીએ વડાપ્રધાનની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. તેમણે કહ્યું, “તમે જોયું હશે કે છેલ્લા 11 વર્ષમાં 4 ડઝનથી વધુ દેશોએ વડાપ્રધાનને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે. આખો વિશ્વ જનકલ્યાણ અને વિશ્વહિત માટેની તેમની દ્રષ્ટિના વખાણ કરે છે.”
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ભારતના વિકાસ માટે વિઝન આપ્યું છે. એ આપણી સૌની ખુશનસીબી છે કે દેશની સંસદમાં તેઓ કાશીનું પ્રતિનિધિત્વ કરે છે. આજે કાશી માટે ₹2200 કરોડની યોજનાઓના ભેટરૂપે તેઓ અહીં આવ્યા છે.” મુખ્યમંત્રીએ ઉમેર્યું, “આ પહેલો અવસર છે જ્યારે કોઈ વડાપ્રધાન પોતાના મતવિસ્તારમાં 51મી વખત હાજર રહ્યા છે. છેલ્લા 11 વર્ષમાં વારાણસી માટે ₹51,000 કરોડની યોજનાઓ મંજૂર થઈ છે, જેમાંથી ₹34,000 કરોડની યોજનાઓનું લોકાર્પણ થઈ ચૂક્યું છે. બાકીની ₹16,000 કરોડથી વધુની યોજનાઓ હાલમાં પ્રગતિમાં છે.”
➖ @ddnews_gujarati ➖
PM મોદીની વારાણસીને ભેટ, 2200 કરોડના કામોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં અંદાજે ₹2200 કરોડના ખર્ચે થનારી અનેક વિકાસાત્મક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું છે. આ યોજનાઓમાં શિક્ષણ, આરોગ્યસેવા, પ્રવાસન, શહેરી વિકાસ અને સાંસ્કૃતિક વારસાને લગતી અનેક કામગીરીઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાને દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતો માટે ‘કિસાન સન્માન નિધિ’યોજના અંતર્ગત 20મો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યો.
વારાણસીમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાનને ‘શિવલિંગ’નું સ્મૃતિચિહ્ન ભેટમાં આપ્યું. કાર્યક્રમમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક, કેશવ પ્રસાદ મૌર્ય સહિત અનેક કેબિનેટ મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ હાજર રહ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, “હું શ્રાવણના પાવન સમયે વડાપ્રધાનનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું, જે ન માત્ર કાશીના સાંસદ છે પરંતુ શહેર માટે તેમની લાગણીએ કાશીને વૈશ્વિક ઓળખ અપાવી છે.” મુખ્યમંત્રીએ વડાપ્રધાનની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. તેમણે કહ્યું, “તમે જોયું હશે કે છેલ્લા 11 વર્ષમાં 4 ડઝનથી વધુ દેશોએ વડાપ્રધાનને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે. આખો વિશ્વ જનકલ્યાણ અને વિશ્વહિત માટેની તેમની દ્રષ્ટિના વખાણ કરે છે.”
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ભારતના વિકાસ માટે વિઝન આપ્યું છે. એ આપણી સૌની ખુશનસીબી છે કે દેશની સંસદમાં તેઓ કાશીનું પ્રતિનિધિત્વ કરે છે. આજે કાશી માટે ₹2200 કરોડની યોજનાઓના ભેટરૂપે તેઓ અહીં આવ્યા છે.” મુખ્યમંત્રીએ ઉમેર્યું, “આ પહેલો અવસર છે જ્યારે કોઈ વડાપ્રધાન પોતાના મતવિસ્તારમાં 51મી વખત હાજર રહ્યા છે. છેલ્લા 11 વર્ષમાં વારાણસી માટે ₹51,000 કરોડની યોજનાઓ મંજૂર થઈ છે, જેમાંથી ₹34,000 કરોડની યોજનાઓનું લોકાર્પણ થઈ ચૂક્યું છે. બાકીની ₹16,000 કરોડથી વધુની યોજનાઓ હાલમાં પ્રગતિમાં છે.”
➖ @ddnews_gujarati ➖
No reviews yet.