Dyora Add Listing

Your Wishlist : 0 Items

DD News Gujarati

Intraday Signals
Visit Now
  • Viewed - 119
  • Bookmark - 0

Telegram Description

【Unofficial】 channel but update regular. @ddnewshindi @ddnews_gujarati @ddnewsenglish @pib_hindi @pibgujarati @pib_english @alleditorial @gujaratiEditorial @gpscalert @cmogujarat @TransformingIndia @gktodayhindi

Latest Channel Posts

Channel Image
DDNews Feeds
કેન્દ્રીય ગૃહમંત્રીએ રવિવારે ગાંધીનગરમાં દેશની પ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) લોન્ચ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે (15-02-2026) ગાંધીનગરમાં દેશની પ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) લોન્ચ કરતી વખતે કહ્યું કે, વિશ્વના કુલ ડિજિટલ વ્યવહારોમાં અડધાથી વધુ  હિસ્સો ભારતનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જ્યારે હું "ડિજિટલ ઇન્ડિયા" શબ્દનો ઉપયોગ કરું છું અને 11 વર્ષ પાછળ જોઉં છું, ત્યારે હું કલ્પના પણ કરી શકતો નથી કે 60 કરોડ લોકો એવા હતા જેમના પરિવારો પાસે બેંક ખાતા નહોતું. આજે, 11 વર્ષ પછી, પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વના અડધા ડિજિટલ વ્યવહારો ભારતમાં થઈ રહ્યાં છે. આનો અર્થ એ છે કે, વિશ્વમાં બે ડિજિટલ વ્યવહારો થાય છે તો એક ભારતમાં થાય છે. આજે, તે જ ડિજિટલ ઇન્ડિયા ગરીબોને સસ્તા અનાજ પૂરા પાડવાના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે, જેમ DBTએ દેશમાં 15 લાખ કરોડથી વધુના કૌભાંડોને દૂર કર્યા, તેવી જ રીતે ખાદ્ય મંત્રાલયની આ પહેલ પારદર્શક વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરશે અને પીએમ મોદીના  ‘मिनिमम गवर्नमेंट, मैक्सिमम गवर्नेंस’ના મંત્રને સાર્થક કરશે. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, તેમને 11 વર્ષ પહેલાનો સમય યાદ છે. ભ્રષ્ટાચાર પહેલા અનાજના વજનમાં શરૂ થતો હતો.  રાશન કાર્ડ નકલી હતા, પરંતુ હવે ઈ-રાશન કાર્ડ રજૂ કરવામાં આવ્યા, પછી "એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ", અને હવે આ સિસ્ટમ વધુ પારદર્શિતા લાવી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ ડિજિટલ ઇન્ડિયા દ્વારા ગામડાઓ સુધી પારદર્શિતા પહોંચાડી છે. કોંગ્રેસ સરકાર દરમિયાન કનેક્ટિવિટી ફક્ત 500 ગામડાઓ સુધી પહોંચી હતી, પરંતુ આજે કનેક્ટિવિટી 1 લાખ 7 હજાર ગામડાઓ સુધી પહોંચી છે. 2014માં પીએમ મોદીએ કહ્યું હતું કે "મારી સરકાર ગરીબો, દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ માટે છે, અને મારી સરકારમાં તેમનો પહેલો અધિકાર છે."

તેમણે કહ્યું કે, આજે આપણે સ્મિત સાથે જોઈએ છીએ કે 81 કરોડ લોકોને દર મહિને પ્રતિ વ્યક્તિ 5 કિલો મફત રાશન મળી રહ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય 81 કરોડ લોકોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે, જે સમગ્ર યુરોપિયન યુનિયનની વસ્તી કરતાં લગભગ બમણું છે. તેમણે છેલ્લા દાયકામાં થયેલા કલ્યાણકારી કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો, અને કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4 કરોડ ઘરો બનાવવામાં આવ્યા છે, 13 કરોડ ઘરોને નળના પાણીના જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે, આશરે 13 કરોડ ઘરોને ગેસ સિલિન્ડર પૂરા પાડવામાં આવ્યા છે અને 12 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2.91 કરોડ મહિલાઓ "લખપતિ દીદી" બની છે. જે સૌને સાથે લઈને ચાલવાના વિકાસ તરફના નોંધપાત્ર પ્રયાસો દર્શાવે છે.

@ddnews_gujarati
2026-02-16T09:40:36+00:00
Channel Image
DDNews Feeds
બાબા કેદારનાથ ધામના કપાટ આ તારીખે ખુલશે, જાણો સંપૂર્ણ માહિતી

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલા પ્રસિદ્ધ બાબા કેદારનાથ ધામના કપાટ આ વર્ષે તારીખ 22 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે ખૂલશે અને તેની સાથે જ 6 મહિના સુધી ચાલનારી કેદારનાથ યાત્રાની શરૂઆત થશે. મહાશિવરાત્રીના અવસરે પંચકેદાર ગદ્દી સ્થળ ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં વૈદિક વિધિ-વિધાન અને પંચાંગ ગણના બાદ શુભ મુહૂર્તની ઔપચારિક ઘોષણા કરવામાં આવી છે. કપાટ ખુલવાની તિથી નક્કી કરવામાં આવતા જ પ્રશાસન અને મંદિર સમિતિએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.  જાહેરાત બાદ જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ટી ગંગાધર લિંગને બાબા કેદારનાથ ધામમાં મુખ્ય પૂજારીની જવાબદારી સોંપવામાં આવી છે. પરંપરા મુજબ, પૂજા-અર્ચના દક્ષિણ ભારતના રાવલ પૂજારીઓ જ કરે છે. શ્રદ્ધાળુઓ હવે બાબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. કેદારનાથ ધામના કપાટ ખુલ્યાના એક દિવસ બાદ બદ્રીનાથ મંદિરના દ્વાર 23 એપ્રિલે બ્રહ્મમુહૂર્તમાં સવારે 6.15 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. જેની જાહેરાત વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી.

ગંગોત્રી - યમુનોત્રી ધામના કપાટ ક્યારે ખુલશે?

જયારે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાના દિવસે 19 એપ્રિલે વિધિ-વિધાનની સાથે ખોલવામાં આવશે. જો કે આ બંને ધામોના સટીક શુભ મુહૂર્તની જાણકારી મંદિર સમિતિએ આગામી દિવસોમાં જાહેર કરશે. જેની રાહ શ્રદ્ધાળુઓ જોઈ રહ્યા છે. ચારધામ યાત્રાને લઈને સરકાર અને સ્થાનિક તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

@ddnews_gujarati
2026-02-16T09:40:14+00:00
Channel Image
DDNews Feeds
ભારત-એઆઈ ઇમ્પેક્ટ સમિટ આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે

ભારત-એઆઈ ઇમ્પેક્ટ સમિટ આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. આ પાંચ દિવસીય પરિષદ વિકાસશીલ દેશમાં યોજાનારી પ્રથમ વૈશ્વિક એઆઈ સમિટ છે. આ કાર્યક્રમમાં 20 દેશોના વિશ્વ નેતાઓ ભાગ લેશે. જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા, સ્પેનિશ રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ પેરેઝ-કાસ્ટેજોન, સ્વિસ રાષ્ટ્રપતિ ગાય પરમેલિન, નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક સ્કૂફ, યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, મોરિશિયન પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુર કુમાર દિસાનાયકે, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિલ્લે અને ભૂટાનના વડા પ્રધાન ત્શેરિંગ ટોબગેનો સમાવેશ થાય છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, બોલિવિયા, ક્રોએશિયા, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ગ્રીસ, ગુયાના, કઝાકિસ્તાન, લિક્ટેંસ્ટાઇન, સર્બિયા અને સ્લોવાકિયાના નેતાઓ પણ ભાગ લેશે. સમિટમાં 45થી વધુ દેશોના મંત્રી સ્તરીય પ્રતિનિધિમંડળો હાજરી આપશે. યુએન સેક્રેટરી-જનરલ અને અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓ પણ ચર્ચામાં ભાગ લેશે.

@ddnews_gujarati
2026-02-16T03:39:45+00:00
Channel Image
DDNews Feeds
ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં એક મોટું પગલું ભરવા માટે તૈયાર

ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં એક મોટું પગલું ભરવા માટે તૈયાર છે. આગામી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં 'PARAM-2' નામનું બહુભાષી AI મોડેલ લોન્ચ કરવામાં આવશે.

'PARAM-2' ભારતના પોતાના સાર્વભૌમ પાયાના AI મોડેલ બનાવવાના પ્રયાસોનું પ્રતિનિધિત્વ કરે છે, જે ખાસ કરીને ભારતની ભાષાઓ, વહીવટી જરૂરિયાતો અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓને અનુરૂપ છે.

ભારતજેન ભારતની રાષ્ટ્રીય જનરેટિવ AI પહેલ છે, જેને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, આ કાર્યક્રમે એક મજબૂત પાયો સ્થાપિત કર્યો છે, જે ભારતને મોટા પાયે AI મોડેલો વિકસાવવા માટે સક્ષમ દેશોના પસંદગીના જૂથમાં સ્થાન આપ્યું છે.

'PARAM-2' ભારતની તમામ 22 અનુસૂચિત ભાષાઓને સમર્થન આપે છે અને 'ભારત ડેટા સાગર' હેઠળ ભારત-વિશિષ્ટ ડેટાસેટ્સ પર તાલીમ આપવામાં આવી છે. આ મોડેલ ‘मिक्सचर-ऑफ-एक्सपर्ट्स’આર્કિટેક્ચર પર આધારિત છે, જે તેને જટિલ બહુભાષી કાર્યોને કાર્યક્ષમ અને અસરકારક રીતે હેન્ડલ કરવા સક્ષમ બનાવે છે.

ભારતજેનના મુખ્ય નેતાઓમાંના એક, IIT બોમ્બેના પ્રોફેસર ગણેશ રામકૃષ્ણને, આ લોન્ચને ફક્ત એક નવા મોડેલના પ્રકાશન કરતાં વધુ ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, તે સંશોધકો, સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગ ભાગીદારો વચ્ચેના સહયોગનું પરિણામ છે જે ભારતને તેના પોતાના AI ભવિષ્યને આકાર આપવા સક્ષમ બનાવે છે.

ચેટજીપીટી અથવા જેમિની જેવા વૈશ્વિક  AI પ્લેટફોર્મથી વિપરીત, ભારતજેન એક અલગ મોડેલ અપનાવે છે. તે કેન્દ્રિયકૃત વ્યવસાય-થી-ગ્રાહક સેવા તરીકે કાર્ય કરતું નથી; તેના બદલે, તેના AI મોડેલો રાષ્ટ્રીય જાહેર ડિજિટલ સંપત્તિ (પબ્લિક ડિજિટલ ગુડ) તરીકે પ્રકાશિત થાય છે.

આનાથી સરકારી વિભાગો, બેંકો, હોસ્પિટલો, અદાલતો અને શૈક્ષણિક સંસ્થાઓને ઇન્ટરનેટ ઍક્સેસ વિના સુરક્ષિત વાતાવરણમાં પણ તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. જેના ઉદ્દેશ્ય પારદર્શિતા, વિશ્વાસ અને ડેટા સાર્વભૌમત્વ સુનિશ્ચિત કરવાનો છે.

ભારતજેનની સ્થાપના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ આંતરશાખાકીય સાયબર-ભૌતિક સિસ્ટમ્સ પરના રાષ્ટ્રીય મિશન પર કરવામાં આવી છે. આ મિશનએ શરૂઆતમાં ₹235 કરોડ મંજૂર કર્યા હતા. હવે તેને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના ઇન્ડિયાએઆઈ મિશનના સમર્થનથી વધુ વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે, જેણે રાષ્ટ્રીય AI વ્યૂહરચના હેઠળ ₹900 કરોડ ફાળવ્યા છે.

@ddnews_gujarati
2026-02-16T03:39:28+00:00
Channel Image
DDNews Feeds
સોમનાથ મંદિર સમગ્ર વિશ્વને આધ્યાત્મિક ચેતનાનો સંદેશો આપે છે: કૈલાશ ખેર

મહાશિવરાત્રિ નિમિત્તે યોજાયેલા પર્વના પહેલા દિવસે સોમનાથ પધારેલા સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેરે પોતાના અવાજમાં શ્રદ્ધાળુઓને શિવમય બનાવ્યાં હતાં. કૈલાશ ખેરે સોમનાથ મંદિર દર્શન અને પ્રભાસક્ષેત્રમાં આગમનનો અવિસ્મરણિય અનુભવ વ્યક્ત કર્યો હતો.

કૈલાશ ખેરે જણાવ્યું હતું કે, ગુજરાત એ એક એવી ધરતી છે, જેના અલગ-અલગ ભાગમાં આધ્યાત્મિક વિસ્મય છૂપાયેલા છે. ભારતમાં મહેલ અને કિલ્લાઓ અઢળક જગ્યાએ છે પરંતુ ગુજરાત એવી ધરતી છે, જ્યાં મહેલ-કિલ્લાઓની સાથે જ ધર્માલય, દેવાલય અને મંદિરોની ભૂમિ છે.

મંદિરની વાત કરતા કૈલાશ ખેરે જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ સહિત ગુજરાતની ભૂમિ પરના મંદિરોની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે. જે સમગ્ર વિશ્વને આધ્યાત્મિક ચેતનાનો સંદેશો આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં રાજ્ય સરકાર દ્વારા આધ્યાત્મિક ચેતનાના પ્રસરણ માટે અઢળક કાર્ય થઈ રહ્યું છે.

પૌરાણિક ભૂમિ પર સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સરકાર ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે. સમગ્ર ભારતને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. આમ કહી તેમણે વડાપ્રધાનનો અને રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

@ddnews_gujarati
2026-02-15T15:38:47+00:00
Channel Image
DDNews Feeds ગરવી ગુર્જરીની પ્રોત્સાહક પહેલે કલા-કારીગરોને આપ્યો ગૌરવમય મંચ ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત…
2026-02-15T15:38:27+00:00

GPT Description

Related Video

No video available.

Item Reviews - 0

No reviews yet.

Add Review