DDNews Feeds
સુરતમાં માત્ર 3.2% બાળકોને જ મળે છે પૂરતું પોષણ
આજે 6 જૂને 'પૂરક આહાર દિવસ'ની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરત જેવા વિકસિત શહેરમાં બાળકોના પોષણ અંગેના આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) મુજબ, સુરતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના માત્ર 3.2% બાળકોને જ પૂરતો અને સંતુલિત આહાર મળે છે. આ આંકડો દેશભરના 11.3% અને ગુજરાતના 6% ના આંકડા કરતાં પણ ઘણો ઓછો છે, જે બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે ગંભીર ચિંતા ઉભી કરે છે.
જીવનના પ્રથમ 1000 દિવસનું મહત્વ:
નિષ્ણાતો વારંવાર ભાર મૂકે છે કે બાળકના જીવનના પ્રથમ 1000 દિવસ – એટલે કે જન્મથી લઈને 2 વર્ષ સુધી – પોષણ સૌથી વધુ જરૂરી હોય છે. ડૉ. કેતન બરડિયા જણાવે છે કે, આ સમયગાળા દરમિયાન બાળકના મગજનો 80% વિકાસ થાય છે. યોગ્ય પોષણનો અભાવ ભવિષ્યમાં નબળા સ્વાસ્થ્ય અને વિકાસમાં અવરોધરૂપ બની શકે છે. જોકે, માહિતીના અભાવે અનેક માતાઓ હજુ પણ સાચા સમયે પૂરક આહાર આપતી નથી, જે આ પરિસ્થિતિ માટે એક મોટું કારણ છે.
પ્રથમ દૂધની અછત
શિશુની રોગપ્રતિકારક શક્તિ માટે જન્મના પહેલા કલાકમાં માતાનું દુધ આપવું અત્યંત જરૂરી છે. તેમ છતાં, સુરતમાં પણ માત્ર 44% બાળકોને જ સમયસર માતાનું પ્રથમ દૂધ મળે છે. આ દર્શાવે છે કે માતાઓમાં આ અંગે જાગૃતિનો અભાવ પણ એક મોટો પડકાર છે.
પોષણની ખામીના કારણો અને નિવારણ:
પોષણની ખામી પાછળ મુખ્યત્વે બે મોટા કારણો જવાબદાર છે: ગરીબી અને જાણકારીનો અભાવ. આ સમસ્યાને દૂર કરવા માટે ઇન્ડિયન પીડિયાટ્રિક એસોસિએશન (IPA) એ એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત માતાઓને કઈ ઉંમરે કેવો આહાર આપવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી બાળકોને યોગ્ય અને સમયસર પૂરક આહાર મળી રહે.
ભવિષ્ય માટે પોષણનું મહત્વ
ડૉ. બરડિયા ભારપૂર્વક જણાવે છે કે, "પૂરક આહાર માત્ર ભોજન નથી – તે બાળકના ભવિષ્યની ચાવી છે. આજે આપણે બાળકોને યોગ્ય પોષણ આપીશું તો આવતીકાલે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી શકીશું."
➖ @ddnews_gujarati ➖
સુરતમાં માત્ર 3.2% બાળકોને જ મળે છે પૂરતું પોષણ
આજે 6 જૂને 'પૂરક આહાર દિવસ'ની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરત જેવા વિકસિત શહેરમાં બાળકોના પોષણ અંગેના આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) મુજબ, સુરતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના માત્ર 3.2% બાળકોને જ પૂરતો અને સંતુલિત આહાર મળે છે. આ આંકડો દેશભરના 11.3% અને ગુજરાતના 6% ના આંકડા કરતાં પણ ઘણો ઓછો છે, જે બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે ગંભીર ચિંતા ઉભી કરે છે.
જીવનના પ્રથમ 1000 દિવસનું મહત્વ:
નિષ્ણાતો વારંવાર ભાર મૂકે છે કે બાળકના જીવનના પ્રથમ 1000 દિવસ – એટલે કે જન્મથી લઈને 2 વર્ષ સુધી – પોષણ સૌથી વધુ જરૂરી હોય છે. ડૉ. કેતન બરડિયા જણાવે છે કે, આ સમયગાળા દરમિયાન બાળકના મગજનો 80% વિકાસ થાય છે. યોગ્ય પોષણનો અભાવ ભવિષ્યમાં નબળા સ્વાસ્થ્ય અને વિકાસમાં અવરોધરૂપ બની શકે છે. જોકે, માહિતીના અભાવે અનેક માતાઓ હજુ પણ સાચા સમયે પૂરક આહાર આપતી નથી, જે આ પરિસ્થિતિ માટે એક મોટું કારણ છે.
પ્રથમ દૂધની અછત
શિશુની રોગપ્રતિકારક શક્તિ માટે જન્મના પહેલા કલાકમાં માતાનું દુધ આપવું અત્યંત જરૂરી છે. તેમ છતાં, સુરતમાં પણ માત્ર 44% બાળકોને જ સમયસર માતાનું પ્રથમ દૂધ મળે છે. આ દર્શાવે છે કે માતાઓમાં આ અંગે જાગૃતિનો અભાવ પણ એક મોટો પડકાર છે.
પોષણની ખામીના કારણો અને નિવારણ:
પોષણની ખામી પાછળ મુખ્યત્વે બે મોટા કારણો જવાબદાર છે: ગરીબી અને જાણકારીનો અભાવ. આ સમસ્યાને દૂર કરવા માટે ઇન્ડિયન પીડિયાટ્રિક એસોસિએશન (IPA) એ એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત માતાઓને કઈ ઉંમરે કેવો આહાર આપવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી બાળકોને યોગ્ય અને સમયસર પૂરક આહાર મળી રહે.
ભવિષ્ય માટે પોષણનું મહત્વ
ડૉ. બરડિયા ભારપૂર્વક જણાવે છે કે, "પૂરક આહાર માત્ર ભોજન નથી – તે બાળકના ભવિષ્યની ચાવી છે. આજે આપણે બાળકોને યોગ્ય પોષણ આપીશું તો આવતીકાલે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી શકીશું."
➖ @ddnews_gujarati ➖
No reviews yet.